હાંસાપુરમાં પતિ- પત્નીએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મોડી રાત્રે અગમ્ય કારણોસર બંનેએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. હાંસાપુર વિસ્તારમાં આવેલી નૂતન હાઉસિંગ સોસાયટીમાં રહેતા રંજીત રાઠવા અને પુષ્પાબેન રાઠવાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જેની જાણ થતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે જઈને બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. કયા કારણોસર આપઘાત કર્યો તેનું રહસ્ય ખૂલ્યું નથી. પોલીસ આ માટે વધુ તપાસ કરી રહી છે.