પાલનપુર : પાલનપુર રેલવે સ્ટેશને ગેરકાયદે ફરતા ફેરીયાઓ સામે આરપીએફ પોલીસે લાલ આંખ કરી છે. જેમણે છ માસમાં કુલ ૫૧૬ ફેરીયાઓ સામે કાર્યવાહી કરી સ્ટેશનમાં સ્વચ્છતા રહે, ચોરીના બનાવો ન બને તે માટે પગલાં ભર્યા છે.
પાલનપુર રેલવે સ્ટેશને ગેરકાયદે ફરતા ફેરીયાઓ સામે આરપીએફ પોલીસે લાલ આંખ કરી છે. આ અંગે આરપીએફ પીઆઇ નિતિન ગુર્જરે જણાવ્યું હતુ કે, મહા નિર્દેશક અરૂણકુમાર, આઇજી પ્રધાન, મુખ્ય સુરક્ષા આયુકત એ. કે. સિંગ, વરિષ્ઠ મંડળ સુરક્ષા આયુકત સૈયદ સરફરાજ અહેમદની સૂચનાથી પાલનપુર રેલવે પોલીસ મથકે મુસાફરોને સારો ખોરાક મળી રહે, સ્ટેશનમાં સફાઇ રહે, ચોરીના બનાવ ન બને તે માટે અનઅધિકૃત રેલવે ટ્રેક ઉપર ફરી ચોરી- છુપી ગેટમાં પ્રવેશ કરનારા, લાયન્સ વગરના ફેરીયાઓ વગર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં છેલ્લા છ માસમાં કુલ ૫૧૬ ફેરીયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.