ભાભર : તાજેતર માં તા.૩૧/૫/૧૮ ની રાત્રે ભાભર તાલુકાના બર વાળા ગામના જીવાભાઈ વાહજીભાઈ પરમાર ને વારંવાર ખોટી પોલીસ ફરિયાદ કરવાની અદાવતમાં કાકાની પિતા સાથે મળીને ભત્રીજા ઓએ ઘાતકી હત્યા કરતી ઘટનાએ પંથકમાં ચકચાર જગાવી હતી, હત્યા પ્રકરણમાં પતિને બચાવવા વચ્ચે પડેલી પત્ની અને મૃતકનો પુત્ર પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને હત્યામાં સામેલ મૃતકનો ભાઈ નરશીભાઈ પરમારને તેના ઘરેથી તે દિવસે ઝડપી પાડ્યો હતો, પોલીસે ત્રણ ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. હત્યા કેસમાં ફરાર બે આરોપીઓને શોધવા ભાભર પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે ગઈકાલે રાત્રે દિયોદર તાલુકાના મુલકપુર ગામેથી બરવાળા હત્યાકેસના રણજીત નરસિંહભાઈ પરમાર અને જગદીશ નરસિંહભાઇ પરમાર બંને આરોપી ને ભાભર પોલીસે ઝડપી લઇ ભાભર પોલીસ મથકના લોકઅપમાં મૂકીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે હત્યા કાંડમાં વધુ વિગત મેળવવા રિમાન્ડ મેળવવા માટે આવ્યા હતા માટે આરોપીઓને ભાભર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.