થરાદના જૈન પરિવારોનાં કુળદેવી જયાદેવી માતાના મંદિરે ત્રણ દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ અવસરે આજે યોજાયેલી ભવ્ય શોભાયાત્રાએ ભક્તિમય માહોલ સર્જી દીધો હતો.થરાદના વરખડી ધામથી પ્રારંભાઈ મુખ્ય બજારમાં ફરી જયાદેવી માતાના મંદિરે પહોંચેલી આ શોભાયાત્રામાં શણગારેલી ઊંટ ગાડીઓ તેમજ વિવિધ પ્રકારના પાત્રોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.આ શોભાયાત્રામાં સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય વિસ્તારોમાં વસતા થરાદના દેસાઈ જૈન પરિવારોના ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.