નર્મદા ડેમમાં જળસ્તરમાં વધારો થતાં ૧૪ વર્ષ બાદ ખુલ્લા થયેલા હાફેશ્વરના શિવ મંદિરે ફરીથી જળ સમાધિ લઈ લીધી છે. છોટા ઉદેપુર જિલ્લાના પૌરાણિક તીર્થધામ હાફેશ્વર ખાતે આવેલા શિવ મંદિરે ગઇકાલે જળ સમાધિ લઈ લીધી છે. અને લગભગ ૪૦ ફૂટ કરતાં વધુ ખુલ્લુ થઈ ગયું હતું, છેલ્લા બે મહિનાથી વરસાદ વરસી રહ્યો છે અને છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદને પગલે નર્મદા નદીના પાણીમાં હાફેશ્વર ખાતેના આખેઆખા શિવ મંદીરે જળ સમાધિ લઈ લીધી છે.
નર્મદા ડેમમાં ડેમનું પાણી ઉલેચી સૌરાષ્ટ્ર કચ્છ સુધી પહોચાડાતા સરદાર સરોવર ડેમમાં પાણી ખૂબ જ ઘટી ગયું હતું. જેને લઈને મંદિર બહાર આવ્યું હતું. સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારતા વર્ષ ૨૦૦૪માં આખેઆખુ શિવ મંદિર નર્મદા નદીના પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. પરંતુ ચાલુ વર્ષે ગુજરાતમાં પાણીનું સંકટ ઘેરું બન્યું હતું,