ખેત મજૂરી કરતા આખા પરિવારે કૂવામાં કૂદીને એક સાથે કર્યું સુસાઇડ, તમામના મૃતદેહો બાંધેલા મળ્યા

સુરેન્દ્રનગરમાંથી એક પરિવારે આત્મહત્યા કર્યા હોવાના ચકચારી ભર્યા અહેવાલ મળી રહ્યા છે. આ ઘટનામાં એક પરિવારે આખા પરિવાર સાથે કૂવામાં પડતું મૂક્યું છે. હાલ કૂવામાંથી તમામ મૃતદેહો બાંધેલી હાલતમાં મળી આવ્યા છે. ઘટનાની જાણ પોલીસને થતા વઢવાણ પોલીસ ઘટના સ્થળે દોડીને આગળની તપાસ હાથ ધરી છે.
 
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના બલદાણામાં એક ખેત મજૂરી કરતો પરિવાર રહે છે, તેઓ ગોધરાથી અહીં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ પરિવારને આર્થિક રીતે ફટકો પડતો સહપરિવાર સાથે કૂવામાં કૂદ્યા હોય તેવું પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળે છે. પોલીસે હાલ ઘટનાને પગલે કૂવામાંથી મૃતદેહોને બહાર કાઢીને રાજકોટની હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલ્યા છે.
 
વઢવાણ પોલીસ આ પરિવાર અંગે વધુ જાણવાની કોશિશમાં લાગી છે. અગાઉ પણ આવી એક ઘટના પ્રકાશમાં આવી હતી. જ્યા રાજકોટનાં ગઢિયાનગરના યુવકે પ્રદ્યુમ્નપાર્ક નજીક આવેલી વાડીના કૂવામાં ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું હતું. આ ઘટનામાં યુવકે પેટે દોરડાથી પથ્થર બાંધી કૂવામાં ઝંપલાવ્યું હતું.
 
 
 
   
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.