<div> પેટાચૂંટણીના પરિણામ બાદ હવે ભાજપના નેતાઓ દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમના બહાને શક્તિ પ્રદર્શન કરી રહ્યાં છે. ઉત્તર ગુજરાતમાં ભાજપ હાઇકમાન્ડે શંકરભાઈ ચૌધરીને ટીકીટ આપી ન હતી.આખરે ચૌધરી મતદારો નારાજ થયાં હતાં જેના કારણે ભાજપે રાધનપુર,થરાદ બેઠક ગુમાવવી પડી હતી. આ જોતાં શંકરભાઈ ચૌધરીએ વાવમાં દિવાળી સ્નેહ મિલન યોજીને શક્તિ પ્રદર્શન કર્યુ હતું તેમાં અલ્પેશ ઠાકોરને આમંત્રણ સુધૃધાં અપાયુ ન હતું. એટલુ જ નહીં, શંકરભાઈ ચૌધરીએ હવે સ્નેહમિલન થકી ભાજપની પ્રદેશ નેતાગીરીને એવો આડકતરો સંદેશો આપ્યો છેકે,ચૌધરી મતદારો શું કરી શકે છે.</div>