થરાદ નજીકની નર્મદા કેનાલમાં ગંભીરપુરાના યુવકની મોતની છલાંગ

થરાદ : થરાદ નજીકથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં આજે વધુ એક યુવકે મોતની છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ હતી. થરાદ નજીકની નર્મદા કેનાલ પર ઢીમા પુલ પાસે બાઇક અને યુવકના ચમ્પલ નજરે પડતા કોઈ યુવક કેનાલમાં કુદી પડ્‌યો હોવાની આશંકાના પગલે આજુ બાજુના રહીશોએ ઘટના સ્થળે દોડી જઇ થરાદ નગરપાલિકામાં જાણ કરતા પાલિકાના તરવૈયા સુલતાનભાઈ મીર તેમજ ફાયર બ્રિગેડની ટીમે કેનાલ પર દોડી જઇ આ યુવકની શોધખોળ હાથધરી હતી. ભારે જહેમત બાદ આ યુવકની લાશ બહાર કઢાઈ છે અને મૃતક યુવક ગંભીરપુરા ગામનો ૨૫ વર્ષીય દલપતભાઈ વજાભાઇ હોવાની વિગતો બહાર આવી છે. ભારે શોધખોળ બાદ મૃત હાલતમાં મળી આવેલા આ યુવકની લાશને બહાર કાઢી પરિવારને સોંપાઈ છે.જોકે આ યુવકે આપઘાત કેમ કર્યો તેની કોઈ ઠોસ વિગતો જાણી શકાઇ નથી
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.