દીઓદર : દીઓદર ત્રણ રસ્તા નજદીક ફાટક પાસે આજે સવારે દીઓદર તાલુકાના વડાણા ગામની ઠાકોર મહીલા ભાનુબેન ભલાજીએ તેની બે વર્ષની દીકરી સાથે રેલ્વે ટ્રેકનીચે પડી આપઘાતનો પ્રયાસ કરેલ. જેમાં માતા ભાનુબેનના શરીરના બે ટુકડા થઈ જવા પામતાં તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજેલ. જ્યારે દીકરીનો પગ કપાઈ જવા પામતાં ગંભીર રીતે ઘાયલ થવા પામેલ. તાત્કાલીક ૧૦૮ દ્વારા રેફરલ હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં Âસ્થતિ ગંભીર જણાતાં વધુ સારવાર અર્થે ધારપુર ખેસેડવામાં આવેલ. મૃતકના વાલીવારસોને જણ થતાં ઘટના સ્થળે દોડી આવેલ કયા કારણોસર મહિલાએ આપઘાતનું પગલું ભરવું પડ્યું હશે તે હજુ અકબંધ રહેવા પામેલ