ડીસાના ખાડિયા વિસ્તારમાં અસહ્ય ગંદકી થતા રોગચાળો ફેલાવાનો ભય

રાજપુર : ડીસાના ખાડિયા વિસ્તારમાં છેલ્લા આઠ દિવસથી સફાઈ ન થતા રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે.ડીસા નગરપાલિકા દ્વારા શહેર સ્વચ્છ રહે તે માટે સમગ્ર શહેરમાં સફાઈ કરવામાં આવે છે ત્યારે ખાડીયા વિસ્તારમાં છેલ્લા આઠ દિવસથી સફાઈ ન થતા પડેલ કચરામાં મચ્છરોનો ઉદભવ થતા રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. આ અંગે સ્થાનિક વેપારી આમીરભાઈ વ્હોરાએ નગરપાલિકામાં વારંવાર જાણ કરેલ પરંતુ પાલિકા દ્વારા હોતી હૈ ચલતી હૈની નીતિ અપનાવાય છે ત્યારે નગરપાલિકા પ્રમુખ દ્વારા તાત્કાલીક સફાઈ કરવી લોકોને રોગના ભરડામાંથી બચાવે તેવી જન માંગ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.