રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પાલનપુરમાં થવાની છે. ત્યારે પાલનપુરના રામપુરા મેદાન ખાતે આજે મુખ્યમંત્રીના કાર્યક્રમને લઇને જે શમિયાણો બાંધવામાં આવ્યો હતો. તે પવનને કારણે પડી જતાં ૩ શિક્ષકો સહિત ૪ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી એકને ગંભીર ઇજા થઇ હતી. જોકે, સદનસીબે બાળકો રીશેસના સમયે મંડપ બહાર હોવાથી તેઓનો બચાવ થતા મોટી દુર્ઘટના ટળી હતી.