અંબાજી ભાદરવી મેળામાં બે દિવસમાં ૬,૭૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાઃ ૪,૬૭,૫૬૨ પ્રસાદનાં પેકેટ નું વિતરણ
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓના ઘોડાપુર ઉમટી રહયા છે. મા અંબાના ધામમાં અત્યાર સુધીમાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. મેળામાં બે દિવસમાં ૬,૭૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. બીજા દિવસે ૪,૬૭,૫૬૨ પ્રસાદનાં પેકેટ નું વિતરણ કરાયુ છે. જ્યારે અકિલા ૨ દિવસમાં કુલ ૭,૧૩,૬૬૨ પ્રસાદનાં પેકેટ નું વિતરણ થયુ છે બીજા દિવસે ૬૦ હજાર ૨૧૨ જેટલા શ્રદ્ધાળુઓ નિશુલ્ક ભોજનનો લાભ લીધો છે..જ્યારે બે દિવસમાં કુલ ૬૩,૬૨૭ યાત્રિકોએ ભોજનનો લાભ લીધો છે. બીજા દિવસે ૨૨ લાખ ૯૨ હજાર ૮૦૮ રૂપિયાની દાનની આવક થઇ છે..જ્યારે બે દીવસમાં કુલ ૪૭ લાખ ૯૪ હજાર ૫૯૮ રૂપિયાની દાનની આવક થઇ છે.