પાલનપુર રેલવે સ્ટેશનનું ઇસ્પેક્શન કરતા જનરલ મેનેજર

પાલનપુર  પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર એ.કે.ગુપ્તા આજે પાલનપુર રેલવે સ્ટેશન ખાતે સ્પેશિયલ ટ્રેન મારફતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ વાર્ષિક ઇન્સપેક્શન કરી કેન્દ્રીય મંત્રીની આગેવાની તળે રેલવે સંબંધિત પ્રશ્નોની રજૂઆતો સાંભળી ઘટતું કરવાની ખાતરી આપી હતી.
પાલનપુર રેલ્વે સ્ટેશનનું વાર્ષિક ઇન્સપેક્શન કરવા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર એ.કે.ગુપ્તા, ડી.આર. એમ.રિતેશકુમાર સહિત ૨૫ જણાનો સ્ટાફ સ્પેશ્યલ ટ્રેન મારફતે આવી પહોંચ્યો હતો. જેઓએ પાલનપુર રેલવે સ્ટેશન ખાતે થયેલા વિકાસના કામો સહિત મળતી સુવિધાઓનું જાતનિરીક્ષણ કર્યું હતું. તેમજ આગામી દિવસોમાં રેલવે સ્ટેશન ખા* તે હાથ ધરાનાર વિકાસના કામોની સમીક્ષા કરી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની આગેવાનીમાં ડી.આર.યુ.સી. સી. મેમ્બર અંબાલાલ રંગવાણી અને સદભાવના ગ્રુપના ચેરમેન હરેશ ચૌધરી, શહેર ભાજપ પ્રમુખ મુન્નાલાલ ગુપ્તાએ પણ હાજર રહી પાલનપુર સહીત જિલ્લાના રેલવે અંગેના પ્રશ્નોની લેખિત રજુઆત કરી હતી. જોકે, જનરલ મેનેજરે પણ આ પ્રશ્નો અંગે સાનુકૂળ પ્રતિભાવ આપ્યો હતો.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.