દેશમાં ચૂંટણી નિયમો કડકાઈથી લાગુ કરવા માટે જાણીતા થયેલા પૂર્વ ચૂંટણી કમિશનર ટીએન શેષનનું નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા. ચૂંટણી ઓળખપત્રની શરૂઆત તેમણે કરી હતી. 10મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે તેઓ 12 ડિસેમ્બર 1990થી 11 ડિસેમ્બર, 1996 સુધી આ પદ પર રહ્યા હતા.
955માં એક તેજતર્રાર યુવક સિવિલ સર્વિસીસની એક્ઝામમાં ટોપર રહ્યો હતો. તે યુવક હતો તિરુનેલ્લઇ નારાયણ ઐયર શેષન, જેમને આપણે ટી. એન. શેષનના નામથી ઓળખીએ છીએ. તેમણે દેશને પહેલી વાર ચૂંટણી પંચની તાકાત બતાવી. એ નામ કે જેના માટે કહેવાતું હતું કે ભારતના નેતાઓ માત્ર બેથી ડરે છે. એક- ઇશ્વર અને બીજા શેષન. દેશના 10મા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા તે પહેલા શેષને જે પણ મંત્રાલયમાં કામ કર્યું તે મંત્રીની છબિ આપોઆપ સુધરી ગઇ. જોકે, 1990માં મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા બાદ શેષનનો એક ડાયલોગ બહુ ચર્ચિત રહ્યો- આઇ ઇટ પોલિટિશિયન્સ ફોર બ્રેકફાસ્ટ. તેમણે આ જ કડકાઇ કામમાં પણ બતાવી. તેથી અલ-કાયદાની માફક શેષન ‘અલ-શેષન’ કહેવાયા.