ભારતને મોટી સફળતા, મસૂદ અઝહર આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર, UNSCમાં પ્રસ્તાવને મંજૂરી

આતંકી મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રએ આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરી દીધો છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર વિરૂદ્ધ આ કાર્યવાહી કરી છે. જૈશ-એ-મોહમ્મદના આતંકી જૂથે જ 14 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકી હુમલો કર્યો હતો. જે બાદથી જ ભારત સતત મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રયાસ કરી રહ્યાં હતા, ત્યારે તેને હવે સફળતા મળી ગઈ છે.
 
મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિના સભ્ય દેશ અમેરિકા, બ્રિટન, ફ્રાંસ સતત પ્રયાસ કરતા હતા પરંતુ ચીન વારંવાર વીટોનો ઉપયોગ કરતું હતું. ચીને અત્યારસુધીમાં ચાર વખત વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. પરંતુ પાંચમી વખત મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર તેઓ રાજી થઈ ગયા છે. મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવ્યાં બાદ વિશ્વમાં જૈશના તમામ નાણાકીય લેવડ-દેવડ પર પ્રતિબંધ બંધ આવી જશે અને એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.