બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે પરબતભાઇ પટેલના નામની જાહેરાત થઈ છે. ત્યારે સામે કોંગ્રેસનાં ઉમેદવારની પસંદગીને લઈ કોકડું હજુ ગૂંચવાયેલું છે. જેમાં અત્યારે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી, દિનેશભાઇ ગઢવી અને ગુલાબસિંહ રાજપૂતે દાવેદારી કરી છે. આથી આ ગડમથલ ઉકેલવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ બનાસકાંઠાના કોંગી ધારાસભ્યો ગેનીબેન ઠાકોર, કાંતિભાઈ ખરાડી, શિવાભાઈ ભૂરીયાને અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે બોલાવ્યા છે. ઉમેદવારોની પસંદગી મુદ્દે તેમની સાથે ચર્ચા કરાશે.