ડીસા
સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ વિજય જયઘોષ સૂરીશ્વરજી મહારાજનું સ્વાસ્થ્ય કથળ્યું હતું. પૂ.ભગવંતો, ગુરૂ ભક્તો અને ડોક્ટરોની મહેનત બાદ પણ નમસ્કાર મહામંત્રની ધૂન સાંભળતા ગઈકાલે બુધવારે ૪ વાગે સમાધિમાં દેવલોક પામ્યા હતા. જેથી ગુરૂ ભક્તોમાં શોકની લાગણી છવાઈ છે.