આજે વિશ્વ કિસાન દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ખેડૂતો સિંચાઈ માટે પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા રાજકીય અગ્રણીઓ પણ મથામણ કરી રહ્યા છે.ભારત દેશમાં સમૃદ્ધિનો રસ્તો ગામડાના ખેતરોમાંથી નીકળે છે.દેશનો વિકાસ ખેતી પર આધારિત છે. ત્યારે દેશના પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહના જન્મદિવસને વિશ્વ કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.મૂળ ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં ૧૯૦૨ ના વર્ષે આજના દિવસે એટલે કે ૨૩ ડિસેમ્બરના રોજ જન્મેલા આ ખેડુત પુત્રના જન્મદિનની વિશ્વ ખેડૂત દિવસ તરીકે ઉજવણી કરાય છે. ખેડુતોના હક માટે લડત ચલાવનાર ચૌધરી ચરણસિંહ ખેડુતોના હૃદયમાં વસી ગયા હતા.તેમણે ખેડૂતોને અન્નદેવતાનું નામ આપી સન્માન અપાવ્યું હતું. ખેડૂતોએ આઝાદીમાં પણ મહત્વનું યોગદાન આપ્યું હોઈ તેમણે દેવા તળે દબાયેલા ખેડૂતોને દેવા મુક્ત કર્યા હતા.આજે આખો દેશ કિસાન દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ખેડૂતો મોટી વોટ બેન્ક હોઈ હાલમાં જ યોજાયેલ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ રાજકીય પાર્ટીઓ ખેડૂતોના દેવા માફ કરવા લાગી છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ખેડૂતો પણ ૧૫ વર્ષ પહેલાં ખેડૂતો પોતાની જમીનમાં પાકનું વાવેતર કરી ખુશાલીભર્યું જીવન પસાર કરી રહ્યા હતા. જો કે છેલ્લા ૧૦ વર્ષથી પાણી સુકાઈ ગયા જતા બોર બંધ થઈ રહયા છે.