અકસ્માત / જામનગર નજીક કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ૪ યુવાનોના ઘટનાસ્થળે જ મોત

ગુજરાત
ગુજરાત

કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, મેઘપર પોલીસે તપાસ હાથ ધરી 
 
જામનગરઃ જામનગર નજીક નવાગામ અને છીકારી ગામ વચ્ચે બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ મેઘપર પોલીસ અને ૧૦૮ની ટીમ દોડી ગઇ હતી. ચારેયના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મૃતકોમાં કુલદીપ ગોરધન સોનરત (ઉ.વ.૨૧), વિશ્વરાજસિંહ પ્રદીપસિંહ ઝાલા (ઉ.વ.૧૪), સુખદેવસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.વ.૨૨) અને અન્ય એક યુવકનો સમાવેશ થાય છે.
 
ચારેય નવાગામમાં રહેતા હતા
 
મૃતક ચારેય યુવાનો નવાગામમાં રહેતા હતા. પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસ હાથ ધરી છે. એક ગામના ૪ યુવાનોના મોતથી ગ્રામજનોમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. કાર સાથે બાઇક ધડાકાભેર અથડાતા બાઇકનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.