નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં પાલનપુરમાં ધરણાં

રખેવાળ ન્યુઝ, પાલનપુર : કેન્દ્ર સરકાર દ્વારા નાગરિક સંશોધન બિલના વિરોધમાં પાલનપુર ખાતે જમીયતે ઉલમા સંગઠન દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે ધરણાં કરી બિલના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.
બનાસકાંઠા જમીયતે ઉલમા દ્વારા કેન્દ્ર સરકારના નાગરિક સંશોધન બિલનો વિરોધ કરાયો હતો. જ્યાં કલેકટર કચેરી ખાતે ધરણાં યોજી આવેદનપત્ર અપાયું હતુ. જેમાં જણાવાયું હતુ કે, આ બિલનું ખંડન કરવામાં આવે છે. જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન થી ઉત્પીડીત લઘુમતીના લોકોને શરણ આપવા માટે ધર્મના આધાર ઉપર ભેદભાવ અને વિભાજન મંન્છા જોવા મળે છે. 
ભારતીય સંવિધાન અનુચ્છેદ આર્ટીકલ ૧૪-૧૫માં રાજ્યના કોઇપણ વ્યકિતને કાનુન સમક્ષ સમાનતા અને ભેદભાવથી ધર્મ, મુળવંશ, જાતિ, લિંગ, જન્મ સ્થળ અર્થાત તેમાંથી કોઇ આધાર પર મનાઇ કરવા પર પ્રતિબંધ છે. આ બીલ આસામ સમાધાન ૧૯૮૫નું ઉલ્લંઘન કરે છે. આ રીતની મનમાનીની પધ્ધતિમાં સમાધાનથી ઉત્તર પૂર્વિય વિસ્તારોમાં બનેલી શાંતિમાં ખલેલ પહોચશે. આ બીલ તાત્કાલિક પરત લેવાની તથા સમીક્ષા કરવા અને ઉચિત કાનુની રીતે ફેરફાર કરવા અમારી રજૂઆત છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.