ઘણી વાર એવું સાંભળવા મળે છે કે, સ્કૂલ બસનો એક્સિડન્ટ થયો અથવા ડ્રાઈવર બસને ખોટા રુટ પર લઈ ગયો. આવી ઘટનાઓના કારણે પેરેન્ટ્સ તેમના બાળકોમાટે ચિંતામાં હોય છે. આ જ કારણથી સરકારે સ્કૂલ બસમાં કેમેરા અને GPS ટ્રેકિંગ સિસ્ટમ ફરજિયાત કરી દીધા છે.
બિઝનેસનો આઈડિયા શોધી રહેલાં ત્રણ મિત્રોને સરકારના આ નિર્ણયમાં એક મોકો દેખાયો અને તેમણે તેમની MNCની નોકરી છોડીને ટ્રેક્યુવા સર્વિસ પ્રા. લિ.ની શરૂઆત કરી હતી. માત્ર બે જ વર્ષમાં તેમની કંપનીનું ટર્નઓવર રૂ. 75 લાખ છે.
કંપનીના એક કો-ફાઉન્ડર મેમ્બર રોહિત જૈને મનીભાસ્કરને જણાવ્યું છે કે, ટ્રેક્યુલા સર્વિસને ત્રણ મિત્રોએ ભેગા કરીને શરૂ કરી છે. હું, મનીષ સેલવાની અને સ્પપ્નિલ તામગાડમે આ કંપનીના કો-ફાઉન્ડર છીએ. અમે ત્રણેયે એનઆઈઆઈટી વારંગલથી ગ્રેજ્યુએશન કર્યું છે. એક જ કોલજમાં સાથે ભણતા હોવાથી અમારી વચ્ચે સારી મિત્રતા હતા. ગ્રેજ્યુએશન કર્યા પછી અમે મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા હતા. જોકે અમે સતત નોકરીની સાથે સાથે કોઈ સારો બિઝનેસ શોધવાની તલ શોધતા હતા. આઈડિયા મળતાં જ અમે નોકરી છોડી દીધી અને ફેબ્રુઆરી 2016માં બિઝનેસની શરૂઆત કરી દીધી હતી.
રોહિતનું કહેવું છે કે, આ બિઝનેસની શરૂઆત કરવામા અમે રૂ. 35 લાખનું રોકાણ કર્યું હતું. આ રકમ અમે પરિવાર અને મિત્રો પાસેથી ભેગી કરી હતી. અમે વ્હિકલ ટ્રેકિંગ સિસ્ટમ માટે Dhundhoo એપ બનાવી હતી. ઈન્ટરનેટ અને સ્માર્ટફોનના યુઝર્સ વધવાના કારણે અમારા બિઝનેસને ઘણો ફાયદો થયો. તેઓ સમગ્ર દેશની 40થી 45 સ્કૂલને તેમની સર્વિસ આપી રહ્યા છે. આમ, સ્કૂલ દ્વારા 20,000થી વધારે વાલીઓ આ એપની સર્વિસનો ઉપયોગ કરી રહ્યા છે. આ એપ દ્વારા વાલીઓ સ્કૂલ બસને ઓનલાઈન ટ્રેક કરી શકે છે.
રોહિતના જણાવ્યા પ્રમાણે, ટ્રેક્યૂલા સર્વિસ હૈદરાબાગમાં બની રહેલી સ્માર્ટ સિટીઝને પણ સર્વિસ પ્રોવાઈ કરી રહી છે. ટ્રેક્યૂલા સર્વિસ હાલ 14 શહેરોમાં ઓપરેશનલ છે. તેમાં દિલ્હી, અજમેર, આગરા, હૈદરાબાદ, નૌલોર, બેંગલુરુ, કોઈંબતૂર, વિશાખાપટ્ટનમ, નાગપુર, વારંગલ સામેલ છે. તે સિવાય 500 વાહનોને ટ્રેકિંગ સર્વિસ આપવામાં આવે છે.
રોહિત અને તેમના મિત્રો હવે સ્માર્ટ ટ્રાન્સપોર્ટ પર ફોકસ વધારી રહ્યા છે. તેમનું કહેવું છે કે, કંપની બ્રેક ઈવન એટલે કે નફો કરતી થઈ ગઈ છે. સવા બે વર્ષમાં કંપનીનું ટર્નઓપ રૂ. 75 લાખ થઈ ગયું છે. આ એપનું હાર્ડવેર અને સોફ્ટવેર તેમણે ઈનહાઉસ ડેવલપ કર્યું છે. જેના કારણે ખર્ચ ઘણો બચી ગયો છે.