બનાસકાઠાના યાત્રાધામ અંબાજી ખાતે સાત દિવસ ભાદરવી પૂનમનો મહા મેળો યોજાના છે.જેથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ઉત્તરગુજરાતમાંથી 2500 હોમગાર્ડ જવાનોને ફરજ સોપવામાં આવી છે.જેથી આજરોજ બનાસકાંઠાના 1200 હોમગાર્ડ જવાનોને જુદા-જુદા યુનિટ ખાતેથી અંબાજી બંદોબસ્ત માટે રવાના કરવામાં આવ્યા હતા.
કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસના ખભેખભો મિલાવીને હોમગાર્ડ જવાનો ફરજ બજાવી રહ્યા છે.બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી ખાતે તા.7 થી 14 સપ્ટેમ્બર દરમીયાન ભાદરવી પૂનમનો મહા મેળો યોજાર છે.જેમાં જિલ્લા કમાન્ડન્ટ રમેશભાઇ પંડ્યાની સુચનાથી જિલ્લાના 1200 હોમગાર્ડ જવાનોને ભાદરવી પૂનમના મેળામાં બંદોબસ્ત ફાળવવામાં આવ્યા છે. જેથી પાલનપુર ઓફિસર કમાન્ડર પ્રસાંતભાઇ ગૌસ્વામી દ્વારા પાલનપુર યુનિટના હોમગાર્ડ જવાનોને હોમગાર્ડ કચેરી ખાતેથી અંબાજી જવા માટે રવાના કરવામાં આવ્યા હતા.આ અંગે સમગ્ર બંદોબસ્ત ઇન્ચાર્જ હોમગાર્ડ સબ ઇન્સપેક્ટર એલ.એચ.વ્યાસએ જણાવ્યુ હતુ કે.ભાદરવી પુનમના મેળામાં અરવલ્લી,પાટણ,મહેસાણા,પોરબંદર અને કચ્છ અને બનાસકાંઠાના કુલ 2500 હોમગાર્ડ જવાનોને ભાદરવી પૂનમના મેળા માટે ફરજ સોપવામાં આવી છે.અને તમામ હોમગાર્ડજવાનોને કોઇ પણ પ્રકારની તકલીમ ન પડે તે માટેની તમામ તકેદારી રાખવામાં આવી છે.