ઊંઝામાં રેલવે સ્ટેશન ત્રણ કિલોમીટર દૂર બનતાં લોકો પરેશાન

ઊંઝામાં નવિન તૈયાર થયેલ રેલ્વે સ્ટેશન ગામથી ત્રણ કિલોમીટર દુર જતા ટીકીટ રિઝર્વેશનને લઈને ભારે પરેશાની થઈ રહી છે. જેના લીધે ઊંઝામાં સરદાર ચોક જેવા મધ્ય વિસ્તારમાં પોસ્ટ ઓફિસ જેવી જગ્યાએ રિઝર્વેશનની સુવિધા ઉભી કરવા પ્રબળ લોકમાંગ ઉઠી છે.  ઊંઝા વિસ્તારને વર્ષોથી રેલવેની સગવડો બાબતે અન્યાય થઈ રહ્યો છે, ઊંઝાથી પસાર થતી એક્સપ્રેસ ટ્રેનો પૈકીની માંડ ૧૦ ટકા ટ્રેનોનું સ્ટોપેજ છે. બાકીની ૯૦ ટકા ટ્રેનોનો  કોઈ લાભ મળતો નથી. આ સંજાગોમાં નવું રેલવે સ્ટેશન શહેરથી ત્રણ કિલોમીટર દૂર મહેસાણા તરફ વગડામાં બનાવવામાં આવેલ છે. તેથી પ્રજાને ભારે પરેશાન થવું પડે છે. રિક્ષાવાળા તોતીંગ ભાડુ વસુલ કરે છે. જેથી ઘાટ કરતાં ઘડામણ મોંઘા જેવી Âસ્થતિ સર્જાઈ છે. રિક્ષા ચાલકો લોકોની પરિÂસ્થતિનો લાભ ઉઠાવી રહ્યા છે. 
જેથી ઊંઝાના સરદાર ચોકમાં કે પોસ્ટ ઓફિસ જેવી જગ્યાએ રિઝર્વેશનની સગવડ રેલવે દ્વારા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.