સમી નાયકા ગામે બુટ ભવાની મંદિરે ફરશુરામ ભગવાનની આરતી યોજાઈ

સમી તાલુકાના નાયકા બુટ ભવાની મંદિર ખાતે બ્રહ્મ યુવા સંગઠન દ્વારા ભગવાન ફરશુરામની ૧૦૮ દિવાની ભવ્ય આરતી યોજાઈ તેમજ બ્રહ્મ રત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે પં.પુ. ભાવેશબાપુ પાટડીએ આશિવચન આપવામાં આવ્યા હતા. મિલન શુકલા સતિષ બાકોડી નિવૃત્ત આર્મી કેપ્ટન ઘનશ્યામભાઈ રાવલ, વાસુદેવભાઈ દવે, સમી પી.એસ.આઈ જાષી વિગેરે મહાનુભાવોનું પુષ્પગુચ્છ શાલ, ફરશીથી સન્માન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર બનાસકાંઠા વઢીયાર પાટડી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બ્રહ્મ યુવા કાર્યકરોએ હાજરી આપી હતી ફરશુરામ ભગવાનની આરતી મહાનુભાવોનું સન્માન શિવ તાંડવ સાથે હરહર મહાદેવના નારાથી વાતાવરણ ભÂક્તમય માહોલ સર્જાયો હતો. તેમજ વઢીયાર પંથકની મસાલેદાર લીલા ચણાની દાળ, માખણ, બાજરીનો રોટલાનો વઢીયારી જમણવાર યોજાયો હતો. કાર્યક્રમનું સુંદર આયોજન બ્રહ્મ યુવા સંગઠન ગીરીશ દવે જિગ્નેશ દવે, નરેન્દ્ર દવે, પરિવાર નાયકા દ્વારા કરવામાં આવ્યું હતું.

 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.