રખેવાળ ન્યુઝ વાવ : ગત તા.રપ-૧ર-૧૯ને બુધવારના રોજ વાવ માર્કેટયાર્ડ ખાતે વાવ તાલુકાની રાષ્ટ્રપ્રેમી જનતા, ભાજપાર્ટીના કાર્યકરોની હાજરીમાં નાગરીક સંશોધન બીલના સમર્થનમાં એક સભા યોજી વાવ માર્કેટયાર્ડ ખાતેથી હાઈવે ચારરસ્તા વાયા રેફરલ હોસ્પીટલ, નવીન બસ સ્ટેન્ડ, મહારાણા પ્રતાપથી મામલતદાર કચેરી સુધી રેલીનું ભવ્ય આયોજન કરી જયશ્રી રામના નારા અને ડી.જે.ના સાઉન્ડ સાથે એક ભવ્ય રેલી યોજી, પોલીસ ઉપર અસામાજીક તત્વોએ કરેલા પથ્થરમારો ના વિરોધમાં આવેદનપત્ર સુપ્રત કરી કસૂરવારો વિરૂધ્ધ પગલાં ભરવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું. જે પ્રસંગે રાજકીય અગ્રણીઓ સહીત બહોળી સંખ્યામાં સ્કાર્યકરો હાજર રહ્યા હતા.