બહુચરાજી પોલીસે ચાલુ વાહનમાંથી જીરૂ ચોરી કરવાના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા સુરેન્દ્રનગર જિલ્લાના ઉપલીયારા ગામના આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. એસપીની સૂચના મુજબ બહુચરાજી પોલીસ મથકના પીઆઈ એ.એલ.આચાર્ય સ્ટાફ સાથે નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા ઝુંબેશ હાથ ધરાઈ છે. જે અંતર્ગત ખાનગી બાતમી આધારે વિરમગામ ચેકપોસ્ટ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન પાટડી તાલુકાના ઉપલીયારા ગામનો ઠાકોર (છનીયારા) પરસોત્તમભાઈ ઉર્ફે ટીનાજી માનસંગજી ઉર્ફે કાળુજી (ઉ.વ.૩૪) નીકળતા તેને ઝડપી લીધો હતો. જેની વિરૂદ્ધ બહુચરાજી પોલીસ મથકમાં જીરા ચોરી અંગે વર્ષ ર૦૧૦ ગુનો નોંધાયો હતો. ચાલુ વાહનમાંથી જીરાની બોરી ચોરીમાં છેલ્લા આઠ વર્ષથી નાસતો ફરતો હતો. જેની અટકાયત કરી બહુચરાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.