અમદાવાદમાં ટ્યૂશનથી ઘરે જતી સગીરાનું અપહરણ થતા ચકચાર

જુહાપુરામાં મંગળવારે સાંજે ટ્યૂશનથી ઘરે પરત ફરતી સગીરાનું કારમાં ત્રણ શખ્સોએ અપહરણ કર્યું હતું. તેનું દુષ્કર્મના ઈરાદે અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો. પરંતુ તેણે હિંમત કરી ચાલુ કારમાંથી ઝંપલાવી અપહરણકર્તાઓની ચુંગાલમાંથી છૂટવામાં સફળતા મેળવી હતી. ઈજાગ્રસ્ત સગીરાને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટનાને પગલે અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા પર ફરી સવાલ ઊભા થયા છે. 
 
જુહાપુરાની 14 વર્ષીય સગીરા ગઈકાલે સાંજે 7.45 વાગ્યાની આસપાસ ટ્યુશનથી પોતાના ઘર તરફ ચાલતાં જતી હતી. ત્યારે કૌશરબી સોસાયટી પાસે પહોંચતાં એક કાર આવી હતી. કારમાં બેઠેલા ત્રણ શખ્સોએ સગીરાને કારમાં ખેંચી લીધી હતી. 
 
અપહરણકર્તાઓએ દુષ્કર્મના ઈરાદાથી અપહરણ કર્યું હોવાનું લાગતા સગીરાએ પોતાને બચાવવા માટે ચાલુ કારમાંથી દરવાજો ખોલી કૂદી ગઈ હતી. આસપાસના લોકો ભેગા થઈ જતાં અપહરણકર્તા કાર લઈ નાસી ગયા હતા.
 
સગીરાને સારવાર માટે વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વેજલપુર પોલીસે અપહરણ, મારામારી અને પોક્સોનો ગુનો નોંધી આસપાસના સીસીટીવીના આધારે કાર અને અપહરણકર્તાની શોધખોળ શરૂ કરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.