દીઓદર નિલકંઠ મહાદેવ મંદીર હોલમાં દીઓદર તાલુકાના વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવા તેમજ પ્રશ્નોની રજુઆતો કરવા અનુસંધાને દીઓદર સરપંચ અને તાજેતરમાં ભાજપમાંથી રાજીનામું આપનાર ગીરીરાજસિંહ વાઘેલાએ બોલાવેલ જેમાં દીઓદર તાલુકાના સરપંચો તથા આગેવાનો ઉપÂસ્થત રહેલ. તેમણે સંબોધતાં જણાવેલ કે તાલુકાના ગામોમાં તળાવો કોરાધાકોર છે. કેનાલ દ્વારા પાણી ભરવા તેમજ ગરીબ પરિવારોને રાહતના પ્લોટની ફાળવણી કરવા તેમજ દીઓદર તાલુકાને જીલ્લો જાહેર કરવા જેવા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવેલ. તેમણે સરકાર ઉપર પ્રહાર કરતાં જણાવેલ કે વર્તમાન સરકાર દ્વારા ગરીબ પ્રજાના પ્રશ્નો સાંભળવામાં આવતા નથી. આજે પ્રજાના અનેક કામો અટવાઈ રહ્યા છે. તેમણે ભાજપ અને કોંગ્રેસને તાલુકાના પ્રજાના પ્રશ્નોને અગ્રીમતા આપવા જણાવેલ નહિતર ર૦૧૯માં પ્રજા તેનો મુડ બતાવી દશે.