વાવ સામુહિક આરોગ્ય કેન્દ્રના બાંધકામમાં ચાલતી ગેરરીતિઓના મુદ્દે રજુઆત

 
 
 
                વાવ શહેર ખાતે અંદાજે રૂપિયા ત્રણ કરોડથી વધુના ખર્ચે આરોગ્યની સુવિધાઓ માટે વાવ ખાતે છેલ્લા ૬ માસથી સામુહિક આરોગ્ય કેન્દ્રના ચાલતા બાંધકામમાં ગેરરીતિઓની બુમરાડ ઉઠી છે. જે બાબતે જાગૃત નાગરિક રાજપુત જામાજી ગણેશજીએ ઉચ્ચ સ્તરે રજુઆતો કરી બાંધકામની ગુણવત્તા જળવાઈ રહે તેવી માંગ કરી છે. વધુમાં જણાવ્યુ હતું કે ગેરરીતિઓના મુદ્દે કોન્ટ્રાક્ટર ના.ઈજનેર કે પછી સુપરવાઈઝરોને ફોન કરવા છતાં ફોન ઉપાડતા નથી અને ફોન ઉપાડે તો સંતોષકારક જવાબ મળતો નથી. જા કે રૂપિયા ત્રણ કરોડના ખર્ચે વાવ ખાતે થઈ રહેલા સામુહિક આરોગ્ય કેન્દ્રના બાંધકામમાં કોન્ટ્રાક્ટરથી માંડી સુપરવાઈઝરો અને ના.કા. 
ઈજનેરોની ભૂમિકા ચર્ચાસ્પદ જણાઈ રહી છે. જા કામની પુરતી ગુણવત્તા નહી જળવાય તો હાઈકોર્ટના દ્વાર ખખડાવી યોગ્ય ન્યાય મેળવવાની જાગૃત નાગરિક જામાજી રાજપુતે તૈયારી બતાવી છે. તેમજ તાલુકા કક્ષાએથી માંડી ગાંધીનગર સુધી ઉચ્ચ કક્ષાએ પણ રજુઆતો કરાઈ છે. 
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.