કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં રાજસ્થાનના જોધપુરમાં એક જંગી રેલી યોજી હતી. જેમાં ગૃહમંત્રીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે, જેટલી પર ગેરસમજ ફેલાવવી હોય તે ફેલાવી લો પણ ભાજપ આ મામલે એક ઈંચ પણ પીછેહટ કરશે જ નહીં.ગૃહમંત્રી અમિત શાહે સીએએને લઈને કહ્યું હતું કે, કોંગ્રેસ, મમતા દીદી, એસપી, બીએસપી, કેજરીવાલ એન્ડ કંપની આ કાયદાનો વિરોધ કરી રહી છે. હું એ તમામને પડકાર ફેંકુ છું કે તે તેઓ સાબીત કરે કે આ કાયદાથી કોઈ પણ અલ્પસંખ્યકનું નુકસાન થશે. અમિત શાહે કહ્યું હતું કે, જો રાહુલ બાબાએ ખરેખર જો કાયદો વાચ્યો હોય તો મારી સામે આવી જાય અને ચર્ચા કરે. શાહે જોરદાર ટોણોં મારતા કહ્યું હતું કે. જો રાહુલ બાબબાને કાયદો સમજમાં ના આવતો હોય તો ઈટલીયન ભાષામાં તેનું ટ્રાન્સલેટ કરીને મોકલવા તૈયાર છું.