વડગામના નવાવાસમાં ઘર ઉપર પથ્થરમારો, વાડને આગચંપી બાદ ગોળી મારવાની ધમકી

વડગામ તાલુકાના નવાવાસ ગામે બુધવારે રાત્રે મુબારક સલીમભાઇ શેખના ઘર ઉપર ચાર શખશો દ્રારા પથ્થરમારો કરી ઘરની વાડ સળગાવી મારમારી ગોળી મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મુબારકભાઈ શેખે ચાર શખશો વિરુદ્ધ વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી
પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકા ના નવાવાસ ગામે રહેતા મુબારકભાઈ સલીમ ભાઈ શેખ ના ઘર ઉપર બુધવાર ની રાત્રે ગામનાજ અશરફભાઈ હબીબભાઈ પરબડીયા(બાપુ), મુસ્તુફાભાઈ હુસેનભાઈ મુમન, મહમદ ભાઈ અબ્દુલભાઇ મંત્રી અને જુબેરભાઈ રહમ તુંલ્લાભાઈ સહિત ના લોકો એ પથ્થરમારો કરી ઘર આગળ ની વાડ સળગાવતા હતા તે દરમિયાન મુબારકભાઈ જાગી જતા ઘર ની બહાર આવતા આ લોકો કહેવા લાગેલ કે તમે અમારી સાથે કેમ રહેતા નથી અને અમારા લોકો સાથે લૂંટફાટ કેમ કરો છો તેમ કહી માર મારવા લાગેલ  આ દરમીયાન વૃદ્ધા જુબેદા બેન બહાર આવતા તેઓ ને છાતી ના ભાગે પથ્થર વાગતા વડગામ  ઉર્ફે સિકદરખાન નથેખાન બિહારી રહે. વાસણા સેંભર તાલુકો વડગામ ને ત્રણ દિવસ માટે પોલીસ રિમાન્ડ મજુંર કર્યા હતા વડગામ પોલીસે લૂંટ માં વપરાયેલ કાર સહિત અન્ય આરોપીઓ ની અટકાયત ની તજવીજ હાથ ધરી હોવા નું સૂત્રો દ્રારા જાણવા મળે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.