અંબાજી : ચાલુ વર્ષે ગત વર્ષ ની સરખામણીએ વધુ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં નદીનાળાં જીવંત બન્યા છે ત્યારે અંબાજી પંથકમાં ગઈ કાલે પડેલા ૪ ઇંચ વરસાદના પગલે તેલિયા નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે.
અંબાજી આબુરોડ પંથકમાં અનેક નદી નાળાંના પાણી સમુદ્રની જેમ ઉછાળા મારી રહ્યા છે ને નદીઓમાં વહેતા પાણી પણ આકર્ષણ નું કેન્દ્ર બની ગયા છે એટલુંજ નહીં અંબાજીથી ૧૦ કિલોમીટર દૂર સુરપગલા ગામે કોઝવે પાણીમાં ઘરકાવ થઇ જતા ૧૫ થી ૨૦ જેટલા માણસો બંને કાંઠે ફસાયેલા જોવા મળ્યા હતા ને અંતરિયાળ વિસ્તાર ના ગામોમાં જવાનો રસ્તો પણ બંધ થઇ ગયો હતો છતાં કેટલાક લોકો જીવન જોખમે નદી માંથી પસાર થતા જોવા મળ્યા હતા. જોકે આ કોઝવે ઉપર અવારનવાર વરસાદી પાણી ના ભારે વહેણ આવતા અનેક વાર રસ્તો બંધ થઇ જવાનો પ્રશ્ન સર્જાયે છે અને તેવામાં કોઈ દર્દી ને પણ હોસ્પિટલ લઇ જવો હોય તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેને લઈ આ વિસ્તારના લોકો આ કોઝ વે પર પુલ બનાવી પ્રશ્નનો કાયમી હલ કરવા માંગ કરી રહ્યા છે. જોકે અંબાજી પંથકમાં પડેલા ભારે વરસાદ ના પગલે અંબાજી -છાપરી પંથકમાં મોટા વૃક્ષ પણ ધરાશાયી થયેલા જોવા મળી રહ્યા છે ને સતત વર્ષી રહેલા વરસાદ ના કારણે ખેતરોમાં ઉભેલો પાકેલો પાક પણ બગડી જવાનો સતત ડર ખેડૂતોને સતાવી રહ્યો છે.