ડીસા : ડીસા રેલવે સ્ટેશન વિસ્તાર માં રહેતા અને પત્રકાર તરીકે સેવા આપતા યુવાને ડીસામાં ભેળસેળ વાળા ખોરાક આરોગતા કાનની નીચે સડો લાગતા સારવાર માટે મદની હોસ્પિટલ ખસેડાયા હતા.
મળતી માહિતી મુજબ ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા કાંતિલાલ લોધાને છેલ્લા બે મહીનાથી તકલીફ થતી હતી.પરંતુ આજે અચાનક વધારે દુખાવો થતા મદની હોસ્પિટલ ખાતે સારવાર કરાવતા ફરજ પરના તબીબે જણાવ્યું કે ભેળસેળ વાળા ખોરાક આરોગતા કાનની નીચે સડો લાગેલ જોવાનું જણાવી તેંમની સારવાર કરી હતી. આ અંગે આરોગ્ય અધિકારી દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરી આવા ભેળસેળીયા વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે તેવો જન મત પ્રવર્તે છે.