ડીસાના બજારોમાં ભગવાન શ્રી કૃષ્ણના શણગારોને લઈ અનેરૂ આકર્ષણ

ડીસા ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું અનેરૂ મહત્વ છે. તેમાં હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો વિશેષ કરીને શ્રાવણ માસમાં આવતા હોય છે. હિન્દુ ધર્મના લોકો પવિત્ર શ્રાવણ માસમાં શંકર ભગવાનની પૂજા અર્ચના કરતા હોય છે તો વળી શ્રાવણ માસમાં જન્માષ્ટમીનો તહેવાર આવતો હોય છે. 
જન્માષ્ટમીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહેતા આ પ્રસંગે ડીસાના ચોરૈયા બજાર અને ફુવારા વિસ્તારમાં ભગવાન શ્રી કૃષ્ણના તેમજ ઠાકરજી મહારાજ, બાલ કૃષ્ણ ભગવાનના માટેના વાઘા, સિહાસન, ઝુલા, શણગાર તેમજ ભગવાનના નેત્ર, વાંસળી, શંખ વગેરે બજારમાં ભગવાન ના શણગાર ખરીદવા માટે બજારોમાં ભીડ જોવા મળી રહી છે.  
જન્માષ્ટમીના તહેવાર નજીક આવતા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન બાલકૃષ્ણને શણગારવા માટે વિવિધ વસ્તુઓ ખરીદવા માટે બજારમાં અગાઉથી ખરીદી કરતા લોકો જોવા મળી રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.