અમદાવાદ ગ્રામ્ય LCB કસ્ટડીમાં યુવકનું મોત થતા પરિવારે પોલીસ પર આરોપ લગાવ્યો છે. પરિવારનો આક્ષેપ છે કે પોલીસનાં મારથી યુવકનું મોત થયું છે. અમદાવાદ ગ્રામ્ય LCB કસ્ટડીમાં યુવકને ચોરીનાં ગુનામાં પૂછપરછ માટે લાવવામાં આવ્યો હતો.
પોલીસને યુવક પર ચોરીની શંકા હતી, જેથી પૂછપરછ માટે તેને લાવવામાં આવ્યો હતો, પરંતુ આ દરમિયાન યુવકનું મોત થતા રહસ્યો ઘેરાયા હતા અને પરિવારે મોતનું કારણ પોલીસનો માર ગણાવ્યું હતુ. યુવકની પૂછપરછ જ્યારે LCB દ્વારા કરવામાં આવી રહી હતી ત્યારે તેની તબિયત અચાનક લથડી હતી.
ગભરામણ થતા શુરભા ઝાલાને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ યુવકનાં મોત માટે પરિવારે પોલીસને જવાબદારી ઠેરવી છે.