વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષની વયે નિધન થયું છે. રામ જેઠમલાણી લાંબા સમયથી બિમાર હતા. રામ જેઠમલાણીએ ઘણા જાણીતા કેસો લડ્યા હતા. તેમાં ઈંદિરા ગાંધી કેસના હત્યારાઓનો કેસ, ડોની હાજી મસ્તાન અને હર્ષદ મહેતાનો સમાવેશ થાય છે. રામ જેઠમલાણી એક જાણીતા વકીલની સાથે રાજકારણી પણ હતા. તે RJDમાંથી રાજયસભાના સાંસદ હતા.