થરાદની મુખ્ય બજારમાં ધડાકા સાથે વિજવાયર સળગતાં અફરાતફરી
થરાદની મુખ્ય બજારમાં આવેલા હાર્દસમા વિસ્તારમાં બુધવારના બપોરના સુમારે એક વિજથાંભલા પર ધડાકા સાથે વાયર સળગતાં અફરાતફરી સાથે ઉત્તેજનનાનો માહોલ ફેલાવા પામ્યો હતો. જોકે સદનસીબે પાલિકાની ઝુંબેશના કારણે લારીઓ અને અવરજવર નહી હોવાના કારણે કોઇ અનિચ્છનીય બનાવ ટળ્યો હતો. પરંતુ જીવંત વાયર હોવાના કારણે રોડ પર અવરજવર કરતા લોકો અને પસાર થતાં વાહનોનાં પૈડાં દુર જ થંભી જવાની સાથે વેપારીઓમાં ભારે અફરા તફરીનો માહોલ ફેલવા પામ્યો હતો. આ અંગે વિજ કંપનીને જાણ કરાતાં કર્મચારીઓએ આવીને વિજકાપ કરીને વાયર સાંધી દીધો હતો. લોકોને વિજકાપ સહન કરવો પડ્યો હતો છેલ્લા ચાર મહિનામાં ચાર વખત વિજવાયર બળીને તુટી પડતાં અહેવાલને પગલે વિજકંપની દ્વારા કવર વાળા વાયર મુખ્ય બજારમાં બાંધવામાં આવ્યા હતા.