વડાલીના કાકરબોરા ગામના આદિવાસી યુવકની લાશ રઝળી

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કાકરબોરા ગામે એક આદિવાસી પરિવાર પોતાના ઘરમાં યુવકની લાશ ખાટલામાં મુકી તંત્ર સામે પ દિવસથી મિટ માંડી પુત્રના હત્યારાને પોલીસ પકડે પછી જ તેનો અગ્નિસંસ્કાર કરશે પ દિવસ વિતવા છતાં હજુ તંત્રનો કોઈ અધિકારી આ ગામ સુધી ફરક્યો નથી. 
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કાકરબોરા ગામનો ધનાભાઈ ડાભી તેની બાઈક લઈ મિત્ર સાથે સાસરીમાં ગયેલો મોડી રાત સુધી પરત ન આવતાં પરિવારે શોધખોળ કરેલી બીજા દિવસે સમાચાર મળ્યા કે વિજયનગર તાલુકાના આંતરીગામ નજીક શંકાસ્પદ હાલતમાં તેની લાશ મળતાં વિજયનગર પોલીસે એ.ડી. દાખલ કરી લાશનું પેનલથી પી.એમ. કરાવી લાશ વારસોને સુપરત કરેલી. પરંતુ પરિવારનો આક્ષેપ હતો કે તેની હત્યા કરવામાં આવી છે. જેને લઈ લાશને ઘેર લઈ જઈ ઘરમાં ખાટલામાં મુકી દીધી છે. અને લાશનો અગ્નિ સંસ્કાર કરવાનો ઈન્કાર કરી દીધો છે. જ્યાં સુધી પોલીસ આરોપીને પકડશે નહી ત્યાં સુધી અગ્નિ સંસ્કાર કરવામાં નહી આવે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.