થરાદ પ્રાપ્ય માહિતી મુજબ સોમવારે થરાદ ધાનેરા હાઇવે પર જેટા ગામના કેટલાક વ્યક્તિઓ ટ્રેક્ટર પર બોર માટે લોખંડની પાઇપો ભરીને પરત જઇ રહ્યા હતા. જે થરાદ નજીક પલટી ખાતાં થરાદની ૧૦૮ના ઇએમટી હિના સિપાઇ પાયલોટ અરવિંદસિંહ સિસોદિયાએ સારવાર અર્થે ખસેડ્યા હતા. જે પૈકી પ્રહલાદભાઇ તલાભાઇ ઠાકોર ૨૨ વર્ષના પગે ફ્રેક્ચર તથા સગથાભાઇ વેરશીભાઇ ઠાકોર ૬૦ વર્ષ અને પાંચાભાઇ નાગજીભાઇ પટેલ ૪૫ વર્ષ સહિત પાંચને ઇજાઓ થવા પામી હતી. સામેથી ટેન્કર આવતું હોવાના કારણે ટ્રેક્ટર પલ્ટી ખાઇ ગયું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે અન્ય એક બનાવમાં રિક્ષા પલટી ખાતાં એક વ્યક્તિને ઇજા થવા પામી હતી. જોકે આ બનાવની કોઇ પોલીસ ફરીયાદ નોંધાવા પામી ન હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.