અરબી સમુદ્રમાં સર્જાયેલ ‘ક્યાર’ વાવાઝોડાની અસર ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં વર્તાઈ છે. આગામી ચાર દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સાથે નહીંવત વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
રત્નાગીરીથી 300 કિલોમીટર દૂર ‘ક્યાર’ વાવાઝોડું સર્જાયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘ક્યાર’ને પગલે વાતાવરણમાં અસર વર્તાઈ છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા હળવાથી મધ્યમ વરસાદની સાથે 30 કિમીએ વાવાઝોડું ફૂંકાઈ શકે છે. ત્યારે ‘ક્યાર’ વાવાઝોડાની અસર ઉત્તર ગુજરાતમાં પણ સર્જાઈ છે.
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સહિત અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ત્યારે આગામી ચાર દિવસ વાતાવરણમા પલટો રહેશે. ગરમીનું પ્રમાણ ઘટશે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જોકે દિવાળીના દિવસો દરમિયાન વાતાવરણ પલટો આવતા ખેડૂતો સહિત લોકોના જીવ પડીકે બંધાયા છે.