બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના પ્રસિદ્ધ યાત્રાધામ સુંધાજી ખાતે પર્વતની ભેખડ ધસી પડતા સર્જાયેલી દુર્ઘટનામાં બનાસકાંઠાના થરાદ તાલુકાના માંગરોળ ગામના એક દર્શનાર્થી ભાવિકનું મોત નિપજતા અરેરાટી મચી ગઇ છે.દરરોજ યાત્રિકોથી ઉભરાતા રહેતા સુંધાજી મંદિર પાસે પર્વતની ભેખડ ઘસી પડતા બે દર્શનાથી યુવકો દટાયા હતા જે પૈકી એક જણનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક જણને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયો છે.સુંધાજી દર્શન કરી પરત ફરી રહેલા બે દર્શનાર્થી યુવકોને આ અકસ્માત નડ્યો હતો.જેમાં થરાદ તાલુકાના માંગરોળ ગામના સેધાભાઈ ચૌધરી ઉપર પહાડ ઉપરથી ભેથડ પડતા ગંભીર ઇજાઓ થવાથી તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આ ઘટનાના પગલે માંગરોળ ગામમાં શોકનો માતમ છવાઇ ગયો છે.