પ્રચારથી કેટલો ફાયદો ? મોદી-શાહે ૫૦ રેલીઓમાં ૪૯ વિધાનસભા કવર કરી, આમાંથી ભાજપ ૯ પર આગળ; કેજરીવાલ ૪૪ વિધાનસભા સુધી પહોંચ્યા, ૩૫ પર આગળ
વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીએ બે અને ગૃહમંત્રી અમિત શાહે ૪૮ રેલી-રોડ શોથી ૪૭ વિધાનસભા કવર કરી છે. અમિત શાહને ૨૩ જાન્યુઆરીથી પ્રચાર શરૂ કર્યો હતો, જ્યારે મોદીએ ૩ અને ૪ ફેબ્રુઆરી રેલી કરી હતી. મોદી-શાહે તેમની રેલી અને રોડ શો દ્વારા જે ૪૯ વિધાનસભા બેઠક કવર કરી, જેમાંથી ૯ પર જ ભાજપ આગળ ચાલી રહી છે. મોદી બે વિધાનસભાઓ સુધી પહોંચ્યા, પરંતુ ભાજપ એક પર જ આગળ. આ પ્રકારે મોદી-શાહનો સ્ટ્રાઈક રેટ ૨૦% રહ્યો હતો. સાથે જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ૪૯ રેલીઓ-રોડ શો કરીને ૪૪ વિધાનસભા કવર કરી હતી, જેમાંથી ૩૫ બેઠકો પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. મોદી-શાહની તુલનામાં કેજરીવાલનો સ્ટ્રાઈક રેટ ૮૦% રહ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એકલા બે અને પ્રિયંકા સાથે મળીને બે રેલી એટલે કે કુલ ચાર વિધાનસભાઓ કવર કરી હતી, પરંતુ આમાથી એક પણ બેઠક પર કોંગ્રેસ આગળ નથી. આ ચારેય બેઠકો પર આગળ ચાલી રહી છે.