આણંદ :ખંભાતના અકબરપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસની હાજરીમાં પથ્થરમારો, અનેક ઘરમાં આગ ચાંપી, કોમ્બિગ હાથ ધર્યું
આણંદૅં ખંભાતના અકબરપુરામાં બપોરના સમયે બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે અથડામણ સર્જાઈ હતી. તકરાર થતા બંને જૂથ સામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. પોલીસ હાજર હોવા છતાં પણ તોફાની તત્વોએ એકબીજાના ઘર પર પથ્થરમારો ચાલું રાખ્યો હતો. ટોળાએ કેટલાક ઘરમાં આગ પણ લગાવી દીધી હતી. હાલમાં સ્થાનિક પોલીસ સહિતનો મોટો પોલીસ કાફલો અકબરપુરા પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી છે.
બે જૂથ વચ્ચે થયેલી બોલાચાલીએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું તોફાની ટોળાએ સામસામે પથ્થરમારો અને ઘરોમાં આગચંપી કરી હતી. તોફાની ટોળાએ પોલીસની ગાજરીમાં જ પથ્થરમારો કર્યો હતો આમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આ ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા એલસીબી, SOG અને DYSP અને DSP સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ખંભાત અને આસપાસના વિસ્તારની તમામ પોલીસ હાલ અકબરપુરામાં ખડકી દેવામાં આવી છે અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. તોફાની તત્વોને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.