દેશના ૨૮માં આર્મી ચીફ બન્યા મનોજ મુકુંદ નરવાણે, જનરલ બિપિન રાવતે સોંપી કમાન

૩૯ વર્ષની ગૌરવમય સેવા બાદ મનોજ મુકુંદ નરવાણે આજે ભારતીય સેનાના શિખર પર પહોંચી ગયા છે દેશના નવા સેના પ્રમુખ તરીકે આજે જનરલ મનોજ મુકુંદ નરવાણેએ કમાન સંભાળી લીધી છે. પૂર્વ સેના પ્રમુખ બિપિન રાવતે તેમને સેનાની કમાન સોંપી દીધી છે. જનરલ મનોજ મુકુંદ નરવાણે દેશના ૨૮માં સેના પ્રમુખ બન્યા છે, અને આગામી ત્રણ વર્ષ સુધી તે આ પદ પર રહેશે.મનોજ મુકુંદ નરવાણે સેનામાં શોર્ય અને સમર્પણ માટે, પરમ વિશિષ્ઠ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, સેના મેડલ અને વિશિષ્ઠ સેવા મેડલથી સન્માનિત છે. ૩૯ વર્ષની ગૌરવમય સેવા બાદ મનોજ મુકુંદ નરવાણે આજે ભારતીય સેનાના શિખર પર પહોંચી ગયા છે. જૂન ૧૯૮૦માં સિખ લાઇટ ઇન્ફ્રેન્ટી રેઝિમેન્ટની સાતમી બટાલિયનથી નોકરીની શરૂઆત કરનારા નરવાણેને આતંક વિરોધી અભિયાનો અને ચીન મામલોના એક્સપર્ટ માનવામાં આવે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.