‘ભવિષ્યનું ભારત : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દૃષ્ટિકોણ’ના અંતિમ દિવસે બુધવારે તેઓ લોકોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. લોકોએ ચિઠ્ઠીઓ લખીને સવાલ પૂછ્યા, જેના જવાબ ભાગવતે આપ્યા.હિન્દુત્વ કે હિન્દુઈઝમ : ભાગવતે કહ્યું, ‘હિન્દુઈઝમ શબ્દ ખોટો છે. સત્યની અવિરત શોધનું નામ હિન્દુત્વ છે. તે સતત ચાલતી પ્રક્રિયા છે. તેથી હિન્દુઈઝમ ન કહેવું જોઈએ. હિન્દુત્વ જ છે જે બધાની સાથે તાલમેલનો આધાર હોઈ શકે છે.અનામતનું રાજકારણ સમસ્યા છે : ભાગવતે કહ્યું, સામાજિક વિષમતા દૂર કરવા માટે બંધારણમાં જ્યાં જેટલું અનામત અપાઈ છે અમે તેનું સમર્થન કરીએ છીએ. અનામત સમસ્યા નથી, પરંતુ અનામતનું રાજકારણ સમસ્યા છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું છે કે ગૌરક્ષા સાથે સંકળાયેલા લોકોને મોબ લિન્ચિંગ સાથે જોડવા યોગ્ય નથી. ગૌરક્ષા થવી જોઈએ, પરંતુ અમે ગાયના સંરક્ષણના નામે કાયદો હાથમાં લેવાની વિરુદ્ધ છે. રામમંદિર મુદ્દે ભાગવતે કહ્યું કે સંઘ નાતે અમારું માનવું છે કે રામમંદિર બનવું જોઈએ. આ મુદ્દે વટહુકમની બાબત સરકાર પાસે છે અને આયોજન રામજન્મભૂમિ મુક્તિ સંઘર્ષ સમિતિ પાસે છે. આંદોલનમાં શું કરવાનું છે તે ઉચ્ચાધિકાર સમિતિ નક્કી કરે છે. ભગવાન રામ માત્ર ભગવાન નથી તેઓ ઈમામે હિન્દ છે.એસસી-એસટી કાયદા વિષે જણાવ્યું હતુ કે, અત્યાચાર દૂર કરવા એક કાયદો બનાવ્યો તે સારી વાત છે. તેનો દુરુપયોગ થાય છે.