વડગામ તાલુકાના મજાદર ગામે ગત તારીખ ૬/૮/૨૦૧૯ના દિને એક ૨૩ વર્ષીય પરણિત યુવતીને ગામનાજ યુવકે હેરાન પરેશાન કરતા યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાસર મચી ગઈ હતી.
છાપી પોલીસ સૂત્રો દ્રારા મળતી હકીકત મુજબ વડગામ તાલુકાના મજાદર ગામે રહેતા વસુબેનની દીકરી કિંજલને ગામનોજ પ્રભાતસિંહ ઉર્ફે પ્રદીપસિંહ માનસુંગજી રાજપૂત અવારનવાર હેરાન પરેશાન કરતો હતો જેની જાણ કિંજલની માતાને થતાં તેઓએ પ્રભાતસિંહને ઠપકો આપતા પ્રભાતસિંહના પરિવારે ઉપરાણું લઈ કિંજલના ઘરે જઇ કિંજલને જેમતેમ બોલી બદચલન કહેતા પરણિત કિંજલને સાસરિયા વાળા શુ કહેશે તેવુ લાગી આવતા કિંજલ તેની માતા ખેતરમાં ખેતી કામે ગયા હતા તે દરમિયાન ઈજ્જતના ડરે કિંજલ ઘરમાં સિલિંગ ફેન ઉપર દુપટ્ટો બાંધી મંગળવારે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી જોકે આ સમગ્ર બનાવની જાણ કિંજલના કાકા નરેન્દ્રસિંહ સુરાજી રાજપૂતને થતાં તેઓ એ શુક્રવારે પ્રભાતસિંહ ઉર્ફે પ્રદીપસિંહ માનસુગજી રાજપૂત તેમજ તેમને મદદ કરનાર માનસુગજી નાથુજી રાજપૂત, ગીતાબેન માનસુનગજી રાજપૂત, જાનકીબેન મેહુલસિંહ રાજપૂત, જયશ્રીબેન પ્રભાતસિંહ રાજપૂત તેમજ પ્રતાપજી નાથુજી રાજપૂત તમામ રહે. મજાદર તાલુકો વડગામ વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.