પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના મોટા પુત્ર જગદિશ પટેલનું નિધન

અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા કેશુભાઇ પટેલના સૌથી મોટા પુત્ર જગદિશભાઇ પટેલનું ગઇકાલે દુ:ખદ અવસાન થયું હતું. ઓશો સન્યાસી એવા જગદીશભાઇ ઘણા સમયથી રાજકોટમાં સ્થાયી હતા. મવડી પ્લોટ ખાતે કારખાનું હતું જે બંધ કરી ઓશો સેન્ટર ચાલુ કર્યું હતું અને સેવાકીય પ્રવૃતિઓ કરતા હતા. ગઇકાલે રક્ષાબંધન પર્વ હોય અમદાવાદ ખાતે તેઓના બહેનને ત્યાં રાખડી બંધાવવા આવ્યા હતા. ત્યાં જ તેમને હૃદય રોગનો હુમલો આવતા તેઓનું નિધન થયું હતું.જગદીશભાઇ પટેલ ઓશો સન્યાસી હતા. તેઓનું ઉપનામ સ્વામી દેવતીર્થ ભારતી હતું. ઉલ્લેખનીય છે કે જગદીશભાઇ પટેલના નાના ભાઇ પ્રવિણભાઇ પટેલનું ગત વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ દુ:ખદ નિધન થયું હતું. તેઓ 5 ભાઇઓમાં સૌથી મોટા હતા.તમામ ભાઇઓ ઓશો સન્યાસી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.