વડગામના મેમદપુર ગામે દુકાનદાર ઉપર હુમલો

વડગામ: વડગામ તાલુકાના મેમદપુર ગામે રાતના સુમારે અગમ્ય કારણોસર દુકાનદાર ઉપર હુમલો કરી માથાના ભાગે પાઇપ ફટકારી ઈજાઓ કરનાર ગામના ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.
વડગામ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મેમદપુર ગામે રહેતા જયંતીભાઈ ભીખાભાઇ પ્રજાપતિ તેમના કાકા કાનજીભાઈ કાળુંભાઈ પ્રજાપતિ સાથે ગામના વિશ્વકર્મા મંદિર સામે કરીયાણાની દુકાન ચલાવે છે.ગત તા.૮/૧૦/૧૯ ની રાતે જયંતીભાઈ ગરબા જોઈ દુકાને સુવા ગયા હતા ત્યારે ત્યાં ઉભેલા કિરણભાઈ ચેનાજી ઠાકોર, ધવલ સોમાજી ઠાકોર, જયેશભાઇ માનસુગભાઈ ઠાકોર અને ચેલાભાઈના પુત્રે અગમ્ય કારણોસર તેમને ગડદાપાટુનો માર મારી માથાના ભાગે પાઇપ ફટકારી હતી તે દરમ્યાન તેમના કાકા આવી જતા તેમની ઉપર પણ પથ્થરો ફેંકી દુકાન આગળ પડેલ પાણીનું માટલું ફોડી નાખ્યું હતું. આ બાબતની કાકા સસરાએ જાણ કરતાં જયંતિભાઈની પત્ની ઉષાબેન અન્ય લોકો સાથે દોડી  આવ્યા હતા અને તેમને માથામાં લોહી નીકળતું હોઈતાત્કાલિક સારવાર અર્થે વડગામ સરકારી દવાખાને લઈ ગયા હતા. બાદમાં ચારેય વિરુદ્ધ આ મતલબની ફરિયાદ નોંધાવી હતી.જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.