ગાંધીનગરમાં સરકાર પાસે જમીન માંગી
ગુજરાતમાં સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટિ બાદ ગૌત્તમ બુધ્ધની ૮૦ ફુટની પ્રતિમા બનાવવાની એક સંસ્થા દ્વારા જાહેરાત કરાઈ છે. સંઘકાળ ફાઉન્ડેશને ગાંધીનગરમાં ગૌત્તમ બુધ્ધની ૮૦ ફુટ ઉંચાઇની પ્રતિમા મૂકવા માટે સરકાર પાસે જમીનની માંગણી કરી છે.ફાઉન્ડેશનના અધ્યક્ષ પ્રશીલ રત્ન ભંતના જણાવ્યા મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટિ બનાવનાર રામ સુથાર સાથે ભગવાન બુદ્ધનું સ્ટેચ્યુ બનાવવાની વાત થઇ ગઇ છે. આ ફાઉન્ડેશન ગુજરાતમાં યુનિવર્સિટી બનાવવાનું પણ વિચારે છે. ૮૦ ફુટના સ્ટેચ્યુ નિર્માણ માટે સરકાર પાસે જમીન માંગી છે.