થરાદ નજીક નર્મદાની મુખ્ય નહેરમાંથી મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે આજે સવારે કોઈ અજાણ્યા શખ્સની લાશ તરતી જોવા મળતા લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. લાશ કોની હશે તેને લઇને અનેક તર્ક-વિતર્કો ચર્ચાસ્પદ બન્યા હતા.આ બનાવ અંગે રાહદારીઓ દ્વારા થરાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. આથી પોલીસે ઘટનાસ્થળે આવી તપાસ હાથ ધરી હતી.